પ્રિય વાચકો, જેમ શેર બજારમાં કેટલીક મહત્વની ઘટનાઓ બજાર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થતી હોય છે તેમ જ્યોતિષની દ્રસ્ટીએ એપ્રિલ માસ આ વર્ષની દિશા નક્કી કરનારો બની શકે છે. કારણ કે આ માસમાં ગ્રહમંડળના લગભગ તમામ ગ્રહોનું ગોચરમાં રાશિ પરીવર્તન થાય છે. આજે ફરી લાંબા અંતરાલ બાદ હું મારા અને તમારા બંનેનો પ્રિય વિષય જ્યોતિષ શાસ્ત્રને લઈને આવ્યો છુ. તો ચાલો આપણે આવડા મોટા ફેરફારની કેવી અને કેટલી અસર દેશ, દુનિયા ઉપર અને રાશિવાર માનવ જીવન ઉપર શું થઈ શકે તેનો વિગતવાર વૈજ્ઞાનિક અભિગમ સાથે વિચાર કરીએ. અહિયાં આપણે બધા ગ્રહોના પરિવર્તનને સ્પર્શ નહીં કરીએ માત્ર ત્રણ લાંબા ગાળાના ગ્રહોના(રાહુ, ગુરુ, અને શનિ) પરિવર્તનનો વિગતે વિચાર કરીશું તેમાં પણ શનિ માટે બાદમાં એક અલગ લેખ લખીશ.
સૌ પ્રથમ તા. ૧૨-૪-૨૦૨૨ના ગ્રહ મંડળના સૌથી અશુભ મનાતા ગ્રહ રાહુ અને કેતુ ગોચરમાં રાશિ પરીવર્તન કરે છે. રાહુ વૃષભ રાશી છોડી મેશ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશી છોડી તુલા રાશિમાં આવતા લગભગ ૧૮ માસ જેટલો સમય પરિભ્રમન કરશે. આ રાશી પરીવર્તનની કેવી અસર પડશે. તો મેશ રાશી તે અગ્નિ તત્વની રાશી છે, ઉગ્રતા વાળી રાશી છે. અને રાહુ ગ્રહ વાયુ તત્વનો ગણાય છે. વાયુ થી અગ્નિ વધારે તીવ્રતાથી ફેલાય છે વળી મેશ રાશી મંગળના ઘરની રાશી હોય રાહુ માટે તે શત્રુ રાશી પણ ગણાય છે. મેશ રાશિમાં રાહુ આવવાથી લોકોના ગુસ્સામાં, અંદરની ઉતાવળમાં અને કપટ કરવાની વૃતિમાં આ સમય દરમ્યાન વધારો થઈ શકે વધુમાં દેશ અને દુનિયામાં આગ લાગવાના, રોગચાળો ફાટી નીકળવાના, કુદરતી હોનારતો, નાના મોટા યુદ્ધધો વી. માં ખૂબ વધારો થઈ શકે જ્યારે સામે રહેલો કેતુ ગ્રહ તુલા રાશિમાં આવવાથી વીશેષ લાભ નહીં થાય કારણ કે કેતુ અશુભ ગ્રહ હોવા છતાં તે ને આધ્યાત્મિકતામાં વધારો કરનાર અને મુક્તિનો દાતા ગ્રહ ગણવામાં આવે છે. જ્યારે તુલા રાશી શુક્રના ઘરની રાશી હોય તે ભૌતિકતાથી ભરેલી માનવામાં આવે છે આ થી અહિયાં કેતુ સહુલિયત અનુભવતો નથી.
હવે આપણે ગ્રહ મંડળનો સૌથી વધુ શુભ મનાતો ગ્રહ ગુરુ એટ્લે કે દેવતાઓના ગુરુ ગ્રહના રાશિ પરીવર્તન વિષે વિચાર મંથન કરીએ. તા ૧3-૪-૨૦૨૨ના તે કુંભ રાશી છોડી પોતાની રાશિ મીનમાં લગભગ ૧ વર્ષ જેટલો સમય પરિભ્રમણ કરશે. મીન રાશિમાં ગુરુ આવવાથી હંસ નામનો રાજયોગ બને છે. મીન રાશી જલતત્વની રાશી છે, ધર્મત્રિકોણની રાશી છે રાશિ ચક્રની છેલ્લી રાશિ હોય તે મૃત્યુ પછીની ગતિ અને દિશાનું નિર્દેશન કરે છે. તે માં ગુરુ જેવો સત્ય, ધર્મ, શિક્ષણ, સંપતિ અને સંતતિનો કારક ગણાતો ગ્રહ પરિભ્રમણ કરવાનો હોય સોનામાં સુગંધ જેવી અવસ્થા માની શકાય. આ સમય સંતાન પ્રાપ્તિ ઇચ્છુક દંપતિઓ માટે સૌથી ઉતમ ગણી શકાય, આ સમય દરમ્યાન લોકોની ધાર્મિકતામાં વધારો થાય, વધારે પ્રમાણમા ધર્મના અને શિક્ષણના સંકુલો નિર્માણ પામે, ન્યાય વ્યવસ્થા મજબૂત બને, આ સમય દરમ્યાન સોનાની માંગમાં વધારો થાય ધર્મ અને ન્યાયના માર્ગે ચાલતા લોકોની સુખાકારીમાં ખૂબ વધારો થાય વિ. હવે આપ સૌનું પ્રિય એવું રાશિવાર ભવિસ્ય વિષે વિચાર કરી લઈએ.
મેશ : આ રાશી ઉપર થી રાહુનું પરિભ્રમણ થવાનું હોય આ રાશી વાળી વ્યકિતિઓને માનસિક ચિંતા અને પરિતાપ રહે. બીજું આ રાશી થી બારમે થનારું ગૃરું ગ્રહનું પરિભ્રમણ પણ સાંસારિક બાબતોમાં સારું પરિણામ નો આપી શકે ખર્ચમાં વધારો કરાવે, તબિયતમા થોડી પ્રતિકૂળતા રહે. પરંતુ શનિનું થનારું આગિયારમે પરિભ્રમણ ચોક્કસ લાભદાયક સાબિત થાય આમ આ સમય દરમ્યાન મિશ્રા ફળ મળે.
વૃષભ : આ રાશીને બારમે થનારું રાહુનું પરિભ્રમણ શારીરિક બાબતો વિશે વ્યાધિ કરાવે, ખર્ચમાં વધારો કરાવે પરંતુ આગિયારમાં સ્થાન ઉપર થનારું ગુરુ ગ્રહનું પરિભ્રમણ વિવાહ અને સંતાન પ્રાપ્તિ બાબતે ખૂબ સાનુકૂળ ગણાય તેમજ કર્મ સ્થાન ઉપર થનારું શનિનું પરિભ્રમણ નોકરી ધંધામાં સાનુકૂળતા આપે સાથે સાથે કાર્યબોજ ખૂબ વધારે.
મિથુન : આ રાશિના આગિયારમાં સ્થાન ઉપર થનારું રાહુનું પરિભ્રમણ અધૂરી અને દબાયેલી ઇચ્છાઓની પૂરતી કરાવે દશમે થનારું ગુરુ ગ્રહનું પરિભ્રમણ નોકરી ધંધામાં સાનુકૂળતા આપે માતાનું સુખ અને વાહનના સુખમાં વૃધ્ધિ થાય. જ્યારે નવમે થનારું શનિનું પરિભ્રમણ ભાગ્યમાં વૃધ્ધિ કરે, ધર્મમાં વૃધ્ધિ કરે અને અધૂરા કાર્યો આગળ વધારે.
કર્ક : આપની રાશિ થી દશમે થનારું રાહુનું પરિભ્રમણ ધંધા બાબતે સારું રહે પરંતુ સુખમાં કમી કરે અને માતા-પિતા બાબતે ચિંતા કરાવે. ભાગ્ય ભાવમાથી પસાર થનાર ગુરુ ગ્રહ તમારા ભાગ્યમાં અને ધર્મમાં વૃધ્ધિ કરે અટકેલાં કાર્યો પાર પાડે, સંતાન પ્રાપ્તિના કાર્યમાં ખૂબ સાનુકૂળતા આપે. આઠમે થનારું શનિનું પરિભ્રમણ એટલું શુભ નો રહે તબિયત બાબતે કાળજી રાખવી, પરિવારિક વિવાદ ટાળવો. આમ આપણે મિશ્ર ફળ આપે.
સિંહ : આપના ભાગ્ય ભાવમાં થનારું રાહુનું પરિભ્રમણ ભૌતિક બાબતોનું પરિણામ સારું આપે પરંતુ ધર્મ થી દૂર કરે. અને આઠમે થનારું ગુરુનું પરિભ્રમણ એટલું સારું ફળ નો આપે તબિયત બાબતે ચિંતા કરવી શકે, આકસ્મિક ધન પ્રાપ્તિ થઈ શકે, સાતમે થનારું શનિનું પરિભ્રમણ હેલ્થ બાબતે થોડી ચિંતા કરવી શકે, પત્ની સાથે સાવંદિતમાં વધારો થાય, ફળ પ્રાપ્તિમાં વિલંબ કરાવે.
કન્યા : આપની રાશી થી આઠમે થનારું રાહુનું પરિભ્રમણ તબિયત બાબતે ચિંતા કરવી શકે, પરિવારમાં વિવાદ ઊભા થવાની શક્યતા દર્શાવે આ સમય દરમ્યાન આપે વાણીમાં સયમ રાખવો ખૂબ જરૂરી બને. પરંતુ સાતમે થનારું ગુરુ ગ્રહનું પરિભ્રમણ આપને મહદ અંશે પ્રોટેકશન પૂરું પાડશે છતાં આપે ઉપરોક્ત બાબતે સાવચેત રહેવું, નવા કાર્યોની શરૂઆત થઈ શકે, યાત્રા પ્રવાસ થાય અને છઠે થનારું શનિનું પરિભ્રમણ નવી નોકરીની તકો સર્જે .
તુલા : આપની રાશિ થી સાતમે થનારું રહૂનું પરિભ્રમણ પાચન તંત્ર બાબતની તકલીફ આપી શકે, ભાગીદારીમાં વિવાદ ઊભો કરી શકે, વળી છઠે થનારું ગુરુ ગ્રહનું પરિભ્રમણ ખર્ચમાં વધારો કરાવે, નોકરી બાબતે કાળજી રાખવી અને પાચમે થનારું શનિ ગ્રહનું પરિભ્રમણ સાચા નિરણયો લેવામાં મદદરૂપ થાય અંદરની સર્જનાત્મકતા ખીલે વી.
વૃશ્ચિક : આપની રાશી થી છઠે થનારું રાહુનું પરિભ્રમણ શત્રુ ઉપર વિજય અપાવે, બારમે થનારું કેતુ ગ્રહનું પરિભ્રમણ આધ્યત્મિકતામાં ઉન્નતિ કરાવે, પાચમે થનારું ગુરુ ગ્રહનું પરિભ્રમણ ઉચ્ચ શિક્ષણમાં સફળતા અપાવે, સર્જનાત્મક શકિત ખીલે, સંતાન પ્રાપ્તિનો બળવાન યોગ ગણી શકાય. ચોથે થનારું શનિનું પરિભ્રમણ વાહનયોગ ઊભો કરે છે, પણ માતાની તબિયત બાબતે ચિંતા કરવી શકે.
ધન : રાશી થી પાચમે થનારું રાહુનું પરિભ્રમણ ગોચરમાં પિતૃ દોષ ઊભો કરે છે. અભ્યાસમાં વિશેષ કાળજી રાખવી, સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ શકે. પરંતુ ચોથે થનારું ગુરુનું પરિભ્રમણ ચોક્કસ ફાયદો કરવી જાય. પ્રોપર્ટીના અને વાહનનો યોગ બને, સુખ શાંતિમાં વધારો થાય, નોકરીમાં પ્રોમોશન સાથે બદલી થાય. અને ત્રીજે થનારું શનિનું પરિભ્રમણ પણ ખૂબ લાભદાયક રહે.
મકર : રાશી થી ચોથે થનારું રાહુનું પરિભ્રમણ ચોક્કસ ફાયદો ન કરાવે પ્રોપર્ટી લેતી કે વેચતી વખતે કાળજી રાખવી, માતા-પિતાની તબિયત બાબતે કાળજી રાખવી. ત્રીજે થનારું ગુરુ ગ્રહનું પરિભ્રમણ નવા કાર્યોનો આરંભ કરાવે, યાત્રા પ્રવાસ કરાવે, બીજે થનારું શનિનું પરિભ્રમણ આર્થિક સમૃધ્ધિમા વધારો કરાવે. પરંતુ અન્ય બાબતોમાં ચિતા કરાવે આને શનિની સાડા સતિનો અંતિમ તબક્કો કહેવાય.
કુંભ : આપની રાશી ઉપરથી થનારું શની ગ્રહનું પરિભ્રમણ માનસિક ચિંતા કરાવે આને શનિની સાડા સતિનો બીજો તબક્કો કહેવાય. અને રાશી થી ત્રીજે થનારું રાહુનું પરિભ્રમણ નવા કાર્યોનો આરંભ કરાવે વિદેશ પ્રવાસના યોગ ઊભા કરે. અને બીજે થનારું ગુરુનું પરિભ્રમણ આર્થિક સમૃધ્ધિમા ખૂબ વધારો કરે, પરિવાર સાથે આત્મીયતા વધારે.
મીન : આપની રાશી ઉપર થી થનારું ગુરુ ગ્રહનું પરિભ્રમણ ચોક્કસ ફાયદો કરવી જાય, સુખ સમૃધ્ધિમા વધારો કરે, માનસિક તણાવ દૂર કરે. બીજે થનારું રાહુનું પરિભ્રમણ આંખ કે દાંતની તકલીફ આપી શકે, પરિવારમાં વિવાદ થઈ શકે. અને બારમે થનારું શનિનું પરિભ્રમણ હેલ્થ અને નાણાં બાબતે ચિંતા કરાવે. આને શનિની સાડા સતિનો પ્રથમ તબક્કો કહેવાય.
Like this:
Like Loading...